APL-1 રેશનકાર્ડ ધારકોને આજથી એપ્રિલ મહિનામાંં વિનામુલ્યે અન્ન વિતરણનો પ્રારંભ 

APL-1 રેશનકાર્ડ ધારકોને આજથી વિનામુલ્યે અન્ન વિતરણનો પ્રારંભ :

૬૦ લાખથી વધુ મધ્યમવર્ગીય પરિવારોના હિતમા રાજ્ય સરકારનુ અભુતપુર્વ પગલુ

APL-1 રેશનકાર્ડ ધરાવતા  અઢી કરોડ  કરતા  વધુ  લોકોને એપ્રિલ મહિનામાંં વિના મુલ્યે અન્ન વિતરણનો મુખ્યમંત્રીશ્રીનો સંવેદનશીલ નિર્ણય

fcsca
  • અન્ન વિતરણ વ્યવસ્થા સરળતાથી કાર્યરત  રહે તે માટે તા. ૧૩ એપ્રિલથી ૧૭ એપ્રિલ દરમ્યાન          (૧૫ આંકડાના રેશનકાર્ડ નંબરમાં  પાછલા  આંકડાની સંખ્યા એટલે કે છેલ્લે ૨૧ હોય તો ૧ નંંબર  સમજવો)  તે મુજબ અન્ન વિતરણના દિવસો નિર્ધારીત રહેશે 
  • રેશન કાર્ડ નં:   ***** ***** ****1
      NFSAમાંં  સમાવિષ્ટ  ન  હોય  તેવા  APL -1  રેેેેશનકાર્ડ   ધારકોના  કાર્ડ  નંબરમાં 
         
             છેલ્લા  આંકડાનો નંબર  ૧  અને  ૨  હોય  તેમને  તા. ૧૩  એપ્રિલ    
             છેલ્લા  આંકડાનો નંબર  ૩ અને  ૪  હોય  તેમને  તા.  ૧૪  એપ્રિલ
             છેલ્લા  આંકડાનો નંબર  ૫ અને  ૬  હોય  તેમને  તા.  ૧૫  એપ્રિલ 
             છેલ્લા  આંકડાનો નંબર  ૭ અને  ૮  હોય  તેમને  તા.  ૧૬   એપ્રિલ 
             છેલ્લા  આંકડાનો નંબર  ૯ અને  0  હોય   તેમને  તા.  ૧૭  એપ્રિલે 
          
          વિનામૂલ્યે  અન્ન વિતરણ  કરવામાં આવશે  પરંતુ,  અનિવાર્ય  સંજોગોમાં
      જો  કોઈ  રહી ગયુ  હશે  તો  તેઓ  તા.  ૧૮  એપ્રિલના  રોજ  અન્ન  મેળવી શકશે
  • રાજયભરમાં  આવેલી  ૧૭   હજાર  જેટલી  સસ્તા  અનાજની  દુકાનો પરથી  Non - NFSA  APL-1    રેેેશનકાર્ડ  ધરાવનારને  એપ્રિલ માસ પુરતુંં ૧૦ કિ. ગ્રા. ઘઉં, 3 કિ. ગ્રા. ચોખા, ૧ કિ. ગ્રા. દાળ અને  ૧ કિ. ગ્રા. ખાંડ વિનામુલ્યે અપાશે. ગ્રાહકે પોતનું રેશનકાર્ડ, આધારકાર્ડ/ઓળખકાર્ડ સાથે રાખવુંં.
  • સોશ્યલ ડિસ્ટન્સીંગ જાળવી  રાખવી
Powered by Blogger.