MYSY - મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના માહિતી અને યોજના pdf | MYSY in Gujarati
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના માહિતી અને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના pdf , વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનામાં ઓનલાઈન ફોર્મ ભરવા માટે જરૂરી પુરાવાઓ, એમ વાય એસ વાય યોજના ઉચ્ચ અભ્યાસ શિષ્યવૃતિ યોજના છે. | MYSY in Gujarati | Mukhyamantri Yuva Swavalamban yojana information in Gujarati
✤ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના માહિતી અને લાયકાતના ધોરણ ( mukhyamantri yuva swavalamban yojana information in gujarati)
૧. ડિપ્લોમા કક્ષાના અભ્યાસક્રમો માટે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર અથવા ગુજરાતના અન્ય માન્ય બોર્ડમાંથી ધોરણ-૧૦ની પરીક્ષામાં ૮૦ કે તેથી વધુ પરસેન્ટાઇલ મેળવનાર વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે.
2. સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અથવા અન્ય માન્ય બોર્ડની ગુજરાતમાંથી ધોરણ-12 ની વિજ્ઞાન પ્રવાહ અથવા સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 90 કે તેથી વધુ પરસેન્ટાઇલ મેળવનાર વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે.
3. રૂ. ૪,૫૦,૦૦૦/- (અંકે રૂપિયા ચાર લાખ પચાસ હજાર પૂરા) સુધીની વાર્ષિક આવક ધરાવતા વાલીઓના સંતાનો સહાય મેળવવા માટે લાયક ગણાશે. મામલતદાર / તાલુકા વિકાસ અધિકારી પાસેથી વાર્ષિક આવકનું પ્રમાણપત્ર મેળવવાનુું રહેશે.
4. એ ડિપ્લોમાં અથવા અંડરગ્રેજ્યુએટ કોર્સના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ તેમના કોર્સની અવધિ સુધી સહાય માટે પાત્ર બનશે.
5. સ્વ-નિર્ભર અભ્યાસક્રમોમાં એન.આર.આઇ. બેઠકો પર પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ આ યોજના હેઠળ લાભ મેળવવા માટે પાત્ર રહેશે નહીં.
અન્ય યોજનાઓ : વિદેશમાં અભ્યાસ અર્થે નાણાકીય લોન યોજના
✦ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ નીચેની સહાય મળશે.
ટ્યુશન ફી સહાય મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના
1. પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને ધોરણ-૧૨ પછીના ઉચ્ચ શિક્ષણના સ્નાતક કક્ષાના મેડિકલ અને ડેન્ટલના સરકાર માન્ય સંસ્થાના સ્વ-નિર્ભર અભ્યાસક્રમો માતે નિયત થયેલ વાર્ષિક ટ્યૂશન ફીની ૫૦% રકમ અથવા રૂપિયા ૨,૦૦,૦૦૦/- તે બે પૈકી જે ઓછું હોય તેટલી સહાય દર વર્ષે મળવાપાત્ર થશે.
2. પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને ધોરણ-૧૨ પછીના ઉચ્ચ શિક્ષણના સ્નાતક કક્ષાના પ્રોફેશનલ કોર્સીસ જેવા કે એન્જીનિયરિંગ ટેકનોલોજી, ફાર્મસી, આર્કિટેકચર, એગ્રીકલ્ચર, આાયુર્વેદ, હોમિયોપેથી, નર્સિંગ, ફિઝીયોથેરાપી, પેરા-મેડિકલ, વેટરનરી જેવા સરકાર માન્ય સંસ્થાના સ્વ-નિર્ભર અભ્યાસક્રમો માટે નિયત થયેલ વાર્ષિક ટ્યૂશન ફીની ૫૦% રકમ અથવા રૂપિયા ૫૦,૦૦૦/- તે બે પૈકી જે ઓછું હોય તેટલી સહાય દર વર્ષે મળવાપાત્ર થશે.
3. પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને ધોરણ-૧૨ પછીના ઉચ્ચ શિક્ષણના સ્નાતક કક્ષાના કોર્સીસ જેવા કે બી.એસ.સી., બી.કોમ, બી.એ., બી.બી.એ., બી.સી.એ. જેવા સરકાર માન્ય સંસ્થાના સ્વ-નિર્ભર અભ્યાસક્રમો માટે નિયત થયેલ વાર્ષિક ટ્યૂશન ફીના ૫૦% રકમ અથવા રૂપિયા ૧૦,000/- તે બે પૈકી જે ઓછું હોય તેટલી સહાય દર વર્ષે મળવાપાત્ર થશે.